મૂળી તાલુકાના દુધઈધામ સ્થિત સુપ્રસિદ્ધ વડવાળા દેવ મંદિરે વસંતપંચમીના પવિત્ર દિવસે પ્રથમ પાંચાળ પરગણા રબારી સમાજ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ૭૬ રબારી યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. આ સમૂહ લગ્નોત્સવ દુધઈ વડવાળા મંદિર દ્વારા મહંત રામબાલકદાસબાપુની દેખરેખ હેઠળ આયોજિત કરાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગના લોકોને ભેદભાવ વિના એકસાથે લગ્ન કરવાની તક પૂરી પાડવાનો અને સમાજમાં એકતા જાળવવાનો હતો