ખેરાલુના તારંગા પાસે આવેલા સંભવનાથ મંદિરે ડભોડા જિલ્લા પંચાયત સીટનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ આત્મનિર્ભર ભારતની રૂપરેખા આપી હતી અને દરેક મોરચા પર આત્મનિર્ભર બનવા અને સ્વદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો. આ સ્નેહમિલનમાં ડભોડા જિલ્લા પંચાયત સીટને નેતાઓ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.