આજે તારીખ 26/10/2025 રવિવારના સાંજે 4 કલાકે સંજેલી તાલુકામાં શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે લાભ પાંચમ નિમિતે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવી. જેમાં શાળાના મેનેજમેન્ટ ટ્રસ્ટી વિનોદભાઈ સોલંકીના હસ્તે પૂજા કરવામાં આવી અને તમામ વિધાર્થીઓની સારી પ્રગતિ થાય એવી આશા વ્યક્ત કરી હતી. લાભ પાંચમમાં પુસ્તકોની પૂજા કરવામાં આવી હતી. શ્રીફળ વધેરી, ફુલહાર કરી ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં નવોદયની તાલીમ મેળવી રહેલા વિધાર્થીઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું.