રાજકોટ: શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ મકાનમાં ભીષણ આગ,આસપાસના રહેવાસીઓના જીવ અધ્ધર, ફાયર સ્ટાફે મહા મહેનતે આગ કાબુમાં લીધી
Rajkot, Rajkot | Nov 19, 2025 આજે બપોરે 12:15 વાગ્યાની આસપાસ શહેરના ગુરુપ્રસાદ ચોકમાં આવેલ એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ સ્ટાફ તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ કાબુમાં લીધી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.