જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામના ખોડિયાર નગરમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી એક અનોખી અને પરંપરાગત રીતથી કરવામાં આવે છે. આ પરંપરા માત્ર ખોડિયાર નગરમાં જ જોવા મળે છે, જે ગામની વિશિષ્ટ ઓળખ બની ગઈ છે. આ ઉજવણીમાં આશરે 20થી 25 જેટલી વિવિધ જાતની શાકભાજી એક મોટા માટલામાં ભેગી કરવામાં આવે છે. માટલાની આજુબાજુ અગ્નિ પ્રગટાવી તેમાં શાકભાજીને ધીમે ધીમે બાફવામાં આવે છે. ત્યારબાદ તે શાકને તેલમાં વધારીને વિશેષ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવામાં આવે છે.