ગોધરા: કાકણપુર-પઢિયાર ગામે અશ્વની લાત વાગતા ૩૨ વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા ના પઢિયાર ગામે અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના બનવા પામી છે પઢિયાર ગામના ૩૨ વર્ષીય આશાસ્પદ યુવાનને પાલતુ અશ્વએ લાત મારતા મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ગોધરા તાલુકાના કાકણપુર, પઢિયાર ગામે રહેતા 32 વર્ષના હિતેશ કુમાર રમેશભાઈ પટેલ નામના યુવાન જ્યારે અશ્વની નજીક હતા, ત્યારે અચાનક અશ્વે પાછળના ભાગેથી જોરદાર લાત મારી હતી.અશ્વની લાત સીધી યુવાનના છાત