ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે આજે ગીર સોમનાથના વેરાવળ સોમનાથ થી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેતરે ખેતરે જઈ ખેડૂતોની વેદના સાંભળશે અને 13મી એ દ્વારકામાં એનું સમાપન થશે ત્યારે આજે આ યાત્રા કેશોદના મુખ્ય માર્ગો પર ફરી હતી અને આહિર સમાજ ખાતે ખેડૂતોનું સંમેલન યોજાયું હતું