આજે તારીખ 17/10/2025 શુક્રવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ જી.એસ.આર.ટી.સી. ડેપો દ્વારા દીપાવલી પર્વના અવસરે મુસાફરોની સુવિધા માટે રાજસ્થાનના કુશળગઢથી વાપી સુધીની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે.આ નવી બસ સેવા શરૂ થતાં ઝાલોદ તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બસ સેવાને લઈને સ્થાનિક નાગરિકોએ ડેપો મેનેજર મુનિયાજી અને ડ્રાઈવર તેમજ કંડક્ટરનો હાર્દિક સન્માન કરી તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.