મુળી: મૂળી પંથકમાં માવઠાને લઈ ખેડૂતોને એક વિધે 15થી 20 હજારની નુકશાન
રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદને લીધે બાગાયતી પાકોને નુકસાન થયું છે ત્યારે મૂળી પંથકમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત કમોસમી વરસાદને લીધે કપાસ તથા મગફળી જેવા પાકોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરમાં એક વિઘા દીઠ 15થી 20 હજાર રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે જેથી તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા વળતર આપવા માંગ કરી છે.