માણાવદર ઘટકના સરદારગઢ સેજામાં સણોસરા-૧ તથા રોણકી આંગણવાડી કેન્દ્રોનું કાર્યક્રમ ઓફિસરશ્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.આ નિરીક્ષણ દરમિયાન આંગણવાડીમાં આવતાં બાળકોના વજન અને ઊંચાઈની ચકાસણી કરવામાં આવી તેમજ આપવામાં આવતા નાસ્તા અને સ્ટોકની ગુણવત્તા પણ તપાસવામાં આવી.