તલોદના ઉજેડીયા ચોકડી નજીક વાહનની ટક્કરે બે કિશોરનાં મોત તલોદ તાલુકાના ઉજેડિયાથી તલોદ રોડ ઉપર લઘુશંકા કરવા બાઈક ઉભું રાખ્યા બાદ થોડીવારમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલક યુવક અને અન્ય બે કિશોરોને ગંભીર ઇજાઓ થતાં બે કિશોરનાં મોત થયા હતા.ત્રણે પિતરાઈ ભાઈ ખેરોલ ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા.