આજે તારીખ 27/12/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતમાં દાહોદ જિલ્લાના બલૈયા ક્રોસીંગ સ્થિત SAI નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગ વિદ્યાર્થીઓ માટે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નર્સિંગ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર્દીસેવા, માનવતા, શિસ્ત અને નૈતિક મૂલ્યો સાથે આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. મંત્રી રમેશ કટારાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.