આગામી જન આક્રોશ યાત્રાણા આયોજન સંદર્ભે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તા. 16/01/2026, શુક્રવારે સવારે 11 વાગે નવા સર્કિટ હાઉસ ધોળકા ખાતે કોંગ્રેસની અગત્યની મિટિંગ મળી હતી. જેમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, પ્રભારી ચેતનભાઈ ખાચર અને કાંતિભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.