જૂનાગઢ માણાવદર ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જાહેરમાં એક નિવેદન આપ્યું હતું. ભાજપનાં નેતાનું અરવિંદ લાડાણીનું કહેવું છે કે શહેરનો વિકાસ અમે જોઇ શકતા નથી. અમને ગામડામાં રસ છે. ત્યારે તેનો વળતો જવાબ આપતા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુ બોરખતરીયાએ કહ્યું હતું કે તમે ગામડાનો વિકાસ નથી જોઇ શકતા કે નથી શહેરનો વિકાસ જોઇ શકતા.જનતા આગળ, જનતાનાં સારા કામ થાય,જનતાનો સારો વિકાસ થાય તેમાં તમને કોઇ રસ જ નથી.