પાલીતાણામાં આવેલ આંબેડકરનગરમાં રહેતા કિરણભાઈ અમૃતભાઈ ગોહિલ પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ સીકે ૦૯૬૫ લઈ પાલિતાણાથી મહુવા જતા હતા.તે દરમિયાન બોરડા ગામ નજીક પાછળથી કાર નંબર જીજે ૦૪ ડીએ ૪૭૧૭ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા યુવાનને ઈજા થઈ હતી.આ બનાવ સંદર્ભે કિરણભાઈએ કાર ચાલક વિરૂધ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.