શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત પંડિત દીનદયાળ ઔષધાલય અને આયુષ્યમાન આરોગ્ય મંદિર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)ની મુલાકાત લેતા મ્યુનિસિપલ કમિશનરશ્રી. મુલાકાત દરમિયાન તેઓએ દર્દી સાથે બરાબર કરી સેન્ટર ખાતે આપવામાં આવતી સુવિધા વિશે માહિતી મેળવી હતી અને જરૂરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ વિસ્તારના લોકો અને દર્દીઓ સાથે મેડિકલ સેવા અને સારવાર કેવા છે તે અંગે ચર્ચા પણ કરી હતી.