ધી મહેસાણા નાગરિક સહકારી બેંક ના ચૂંટણી આગામી 14-12 - 2025 ના રોજ યોજાવા જઈ રહી છે અંદાજે 16500 સભાસદો પોતાનો મત આપશે. 40 વર્ષથી એકધાર્યુ શાસન બાદ હવે ચૂંટણી કરવાનું વારો આવ્યો. આજરોજ રાધનપુર રોડ ઉપર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ની સામે પરિવર્તન પેનલ દ્વારા કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટનમાં તમામ 12 ઉમેદવારોએ હાજરી આપી હતી સાથે સાથે રાધનપુર રોડ અને મહેસાણામાં રહેતા સભાસદો મોટી સંખ્યામાં જોડાયા હતા.