બાવળા: બાવળામાં દિવાળીની પરંપરાગત ઉજવણી કરાઈ, ચોપડા પૂજન કરાયું
આજરોજ તા. 21/10/2025, મંગળવારે સવારે નવ વાગે મળેલી માહિતી મુજબ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાડી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળા ખાતે સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્રીય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી સંતો - ભક્તો એ સાથે મળીને ચોપડાનું વિધિવત પૂજન કરી દિવાળીની પરંપરાગત ઉજવણી કરી હતી.