કતારગામ સ્થિત ધનમોરા ચાર રસ્તા પાસે મંગળવારના રોજ બપોરના સમયે જેકેપી નગર સોસાયટીમાં બિલ્ડરની હત્યામાં આરોપસર ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ કરી છે.ડીસીપી રાઘવ જૈન ના જણાવ્યાનુસાર,સરથાણા યોગીચોક માં રહેતા વિપુલ મંડાણી ની મંગળવારે પાંચથી છ ઈસમોએ હત્યા કરી હતી.જે હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં હિતેશ સોલંકી,અશ્વિન સોલંકી અને પ્રફુલ સોલંકી ને ઝડપી પાડવામાં આવ્યા હતા.જે આરોપીઓ ની પૂછપરછમાં રૂપિયા ની આર્થિક લેવડ દેવડ સામે આવી છે.