કેશોદ શહેરના નીલકંઠ મંદિર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શૌર્યયાત્રા તેમજ શૌર્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને શહેર-આસપાસના હિન્દુ સંગઠન સાથે જોડાયેલા આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શૌર્યયાત્રા દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા શિસ્તબદ્ધ રીતે યાત્રા કાઢી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય અને ગૌરવભર્યો માહોલ સર્જાયો હતો