વડોદરા: SOU ખાતેથી પીએમ નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા અપાઈ વિદાય
વડોદરા : PM નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ બાદ વડોદરા એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.તેમને અહીંથી વિદાય આપવામાં આવી હતી.બે દિવસ એકતાનગર ખાતે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું તેમજ રાષ્ટ્રીય એકતા દિવસ એકતા પરેડ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.તેઓ વડોદરા એરપોર્ટ ઉપરથી દિલ્હી જવા રવાના થયા,ત્યારે મેયર પિન્કીબેન સોની,પો.કમિશનર નરસિમ્હા કોમાર, કલેક્ટર અનિલ ધામેલીયા હાજર રહયા હતા.