આજે તારીખ 20/10/2025 સોમવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ભમેલા વિસ્તારમાં ઇલેક્ટ્રિક DP બદલવાની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. અનવરપુરા વડી ફળિયાના રહેવાસી રિકેશભાઈ લાલસિંગભાઈ ભાભોરનુ મોત નીપજ્યું. બનાવ અંગે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા.