આજે તારીખ 23 ઓક્ટોમ્બર 2025 ના રોજ પ્રાપ્ત થતી માહિતી મુજબ 20/10/2025 ના રોજ ઉમરાળાથી વલ્લભીપુર જઈ રહેલા બાઇકમાં સવાર સુનિલભાઈ અને બિપીનભાઈને પૂરપાટ ઝડપે આવી રહેલી જી. જે.05 જે.કે.1685 ના ચાલકે બે ફિકરાઈથી કાર ચલાવી બંને બાઇકમાં સવાર લોકોને ટક્કરમારી કરૂણ મોત નિપજાવ્યું હતું, કાર ચાલક ફરાર થઈ જતાં સુનિલભાઈના ભાઈ આનંદ રાજુભાઇએ કાર ચાલક વિરૂધ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.