શનિવારે સાંજે ચાર કલાકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વર્ગ ત્રણ અને ચારના ટેકનિકલ કર્મચારીઓ એ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને રૂબરૂ મળી પોતાના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. ફિલ્ડ એલાઉન્સ ની વિસંગતા દૂર કરવા, રિસ્ક એલાઉન્સ જાહેર કરવા, કામના કલાકો નક્કી કરવા જેવા પડતર વિવિધ પાંચ જેટલા પ્રશ્નો અંગે તેઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને સુરતના અઠવાલાઇન સ્થિત સર્કિટ હાઉસ ખાતે શનિવારે સાંજે ચાર કલાકે રૂબરૂમાં મળી રજૂઆત કરી હતી.નિરાકરણ અંગેની ખાતરી આપી.