સચિન સ્લમ બોર્ડ માં 31 ડિસેમ્બરે સૂરજ સુરવાડે ની હત્યા કરી દેવામાં આવી હતી.મોડી સાંજે સૂરજ અને શાહીદખાન પઠાણ વચ્ચે પાન ગુટખાના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી.જેમાં કમલેશ ઉર્ફ રાજ રણદેવે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.જે હુમલાની ઘટનામાં સૂરજનું કરૂણ મોત થતાં સચિન પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.દરમ્યાન ગુનામાં સંડોવાયેલા આરોપી કમલેશ ઉર્ફે રાજ રણદેવે સહિત સગીરની ગુરુવારે ધરપકડ કરી હતી.જ્યાં વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે.