યુનિવર્સિટીની અધ્યાપક આલમમાં ચાલતી ચર્ચા પ્રમાણે સરકારે તા.૧૭ ડિસેમ્બર સુધીમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દૂર કરવા માટે લીધેલા પગલાની જાણકારી માંગી હતી પરંતુ યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.નોડલ ઓફિસરની પણ નિમણૂકની હિલચાલ હજી સુધી થઈ નથી.કેટલાક ફેકલ્ટી ડીનો સુધી તો આ પરિપત્ર પણ પહોંચ્યો નથી તેવું કહેવાઈ રહ્યું છે.