સરથાણામાંથી પાટીદાર સમાજની દીકરીના અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપી અરવિંદ પંચાસરાની સાથે રાખી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મંગળવાર ના રોજ સવારે 11:30 વાગ્યાના સમય દરમિયાન સરથાણા વિસ્તારમાં જાહેરમાં આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કરાયું હતું. જે દરમિયાન પોલીસની કામગીરીથી ખુશ સમાજના લોકોએ પુષ્પ વર્ષા કરી પોલીસ અધિકારી કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.