ધોળકા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિની ઉજવણી કરવામાં આવનાર છે. તે અનુસંધાને આજરોજ તા. 22/01/2026, ગુરૂવારે સાંજે 4.30 વાગે મંદિર માંથી અક્ષર પુરુષોત્તમ મહારાજને લઈ ને સંતો કલિકુંડ ખાતે અયોધ્યા સોસાયટીમાં પધાર્યા હતા. જ્યાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.