વાંસદા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા બનાવ પ્રમાણે બેડમાળ મુળગામ ફળિયા ખાતે સ્મશાન પાસે આવેલા ખેતરમાં 52 વર્ષીય ખેડૂત માવજીભાઈ ઝુલુભાઈ વરઠાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેમની હાલત ગંભીર બની હતી. તેમને તાત્કાલિક ધોરણે ધરમપુરની સાઇનાથ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે તેમના પુત્ર દીપકભાઈ વરઠાએ પોલીસને જાણ કરેલી.