અડાજણ માં મધુવન સર્કલ પાસે આવેલ ગાદલા બનાવવાના ગોડાઉનમાં શુક્રવારે બપોરે એક કલાકે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી.જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં દુર્ઘટના ટળી હતી.જ્યારે આગની ઘટનામાં ગાદલાનો મોટો સામાન.બળીને ખાખ થઈ ગયો હતો.