બુધવારના 4 કલાકે યોજાયેલા રિહસલ ની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં રાજ્યના તમામ મંત્રીઓ મુખ્ય સચિવ અને અગ્ર સચિવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભવો આવતીકાલે વંદે ભારત ટ્રેન દ્વારા વલસાડ પહોંચશે. તેમના આગમનને લઇ વલસાડ રેલવે સ્ટેશન ખાતે પણ કરવામાં આવ્યું હતું.