સુરતમાં રખડતા શ્વાન નો આતંક હજી પણ યથાવત છે.પાલિકા દ્વારા રખડતા શ્વાન ની લઈ રસીકરણ અને ખસીકરણ ની કામગીરી પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે.છતાં શહેરમાં ડોગ બાઈટ ના કિસ્સાઓ વધી રહ્યા છે.સૌથી વધુ માસૂમ બાળકો તેનો ભોગ બની રહ્યા છે.જેમાં રખડતા શ્વાન દ્વારા બાળકો પર જીવલેણ હુમલા કરવામાં આવે છે.જેના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ ડોગ બાઈટ ના ચિંતાજનક કેસો પ્રતિદિવસ આવી રહ્યા છે.જેમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકો પણ ભોગ બને છે.