નાયબ મુખ્યમંત્રીના નિવેદન બાદ સુરત પોલીસ દ્વારા ઠેર ઠેર સેફ્ટી ગાર્ડ નું વિતરણ વાહન ચાલકોને કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત મંગળવારે ભેસ્તાન પોલીસ દ્વારા ભેસ્તાન ચાર રસ્તા ખાતે વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે સેફ્ટી ગાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે.જે દરમ્યાન પતંગના કાતિલ દોરાના કારણે ગંભીર ઇજાઓ થવાની શક્યતા રહેલી છે.જેથી સુરક્ષા અને સલામતીના સંદેશ સાથે આ સેફટી ગાર્ડ પોલીસ દ્વારા વિતરણ કરાયા હતા.