ગોધરા: ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં માતાજીના જવારા વળાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રૂચિતા માસી દ્વારા માતાજીના જવારા વરાવવાનો ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધાભાવે ઉજવાયો. પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત પૂજા-અર્ચના સાથે થઈ અને પરંપરાગત રીતે જવારા વિધિ પૂર્ણ થઈ. મહિલાઓ સહિત ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભજન-કીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો. અંતે શ્રદ્ધાળુઓએ માતાજી પાસે સુખ-શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.