વડોદરા : તરસાલી વિસ્તારમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ લાગી હતી.ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી.પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાની ચીંગારીથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું.અગ્નિશામક દળની ગાડીઓ સ્થળ પર પહોંચી કામગીરી શરુ કરી હતી.આગના કારણે ગોડાઉનમાં માલસામાન બળીને ખાખ થયો હતો.આસપાસના વિસ્તારને ખાલી કરાવી સુરક્ષા ઘેરો ઉભો કરાયો હતો.પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણની તપાસ હાથ ધરાઈ છે.સદનસીબે જાનહાનિ થતા ટળી હતી.