ધ્રાંગધ્રા શહેર ખાતે સતવારા બાળ યુવા કેળવણી મંડળ દ્વારા સાતમો ઇનામ વિતરણ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં ઝાલાવાડ પંથકના સતવારા સમાજના આગેવાનો, વડીલો, માતા-પિતા તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજની એકતા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રગતિનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો