માણાવદરના મીતડી રોડ પર આવેલ રવજી ભાણજી મીલમા રહેતા શ્યામભાઈ અનીલભાઈ અકોદરીયાએ માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેમની માતા નિર્મલાબેન (ઉંમર 58 વર્ષ) પર અચાનક દિવાલ ધરાશાયી થતા ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન તેમનું દુર્ભાગ્યવશ અવસાન નિપજ્યું હતું. ઘટના અંગે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.