શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી અનેક આંગણવાડીઓ આજે પણ ભાડાની જગ્યા પર ચાલતી હોવાની હકીકત સામે આવી છે. સરકાર એક તરફ બાળકોને ગુણવત્તાયુક્ત અને સર્વાંગી શિક્ષણ આપવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે, બીજી તરફ પાયાના સ્તરે મહત્વપૂર્ણ ગણાતી આંગણવાડીઓ ભાડાની જગ્યા પર ચાલતી હોવાથી સરકારના લાખો રૂપિયાનો ખર્ચ વ્યર્થ જઈ રહ્યો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. આવી સ્થિતિમાં ભાડેથી ચાલતી આંગણવાડીઓને વહેલી તકે સરકારી જગ્યા પર સ્થાનાંતરિત કરવાની માંગ