નખત્રાણા: ખેત પેદાશના નાણાં ન ચૂકવી વેપારીઓએ ખેડૂતો સાથે કરી છેતરપિંડી કચ્છના નખત્રાણા તાલુકામાં વેપારીઓએ ખેડૂતો પાસેથી ખેત પેદાશ ખરીદ્યા બાદ લાખો રૂપિયાની ચુકવણી ન કરતા છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આર્થિક નુકસાન વેઠતા રોષે ભરાયેલા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. ખેડૂતોએ બાકી નાણાં અપાવવા અને લુખ્ખા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.