કાલોલ: દેલોલથી સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિતે ''સરદાર@૧૫૦ યુનિટી માર્ચ” અંતર્ગત ભવ્ય તિરંગામય પદયાત્રા યોજાઇ
કાલોલમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પુરુષ, રાષ્ટ્ર નિર્માણના બિસ્માર્ક અને રાષ્ટ્રીય એકતા તેમજ અખંડિતતાના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તંત્ર દ્વારા બુધવારે "સરદાર@૧૫૦ યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેલોલ હાઈસ્કૂલથી રાબોડ સુધીની સાત કીમીની પદયાત્રામાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના નેતૃત્વમાં હજારો લોકો જોડાયા હતા.