વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શ્રી જલારામ પરિવાર ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ વર્ષોથી સેવાકીય કાર્યોમાં સક્રિય છે અને આ વર્ષે પણ આશરે 400થી વધુ વ્યક્તિઓને દિવાળી કીટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયર, વોર્ડ નં. 9 ના કાઉન્સિલર રંગ આયર તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટી કનુભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ અને અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.