અંજાર તાલુકાના ભીમાસર ગામની જમીનના માલિકના બનાવટી અને ખોટા મરણના પ્રમાણપત્રો બનાવી બનાવટી આધાર કાર્ડો બનાવી ખોટુ બનાવટી પેઢી પંચનામુ બનાવી ખોટી વારસાઈ નોંધ કરનાર આરોપીઓ અયાન શાંતિલાલ અવાડીયા અને અમરદિપસિંહ ઉર્ફે ગોપાલસિંહ મહાવીરસિંહ વાઘેલાની અટક કરી છે.પી.આઈ. એ.આર. ગોહીલ, પીએસઆઇ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ ટીમે આ મિલકત સંબંધી છેતરપિંડીના કૌભાંડને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.