ધ્રાંગધ્રા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને શાકમાર્કેટ રોડ અને આસપાસનો વિસ્તાર સાંજના સમયે ભારે અવરજવરથી ભરાઈ જાય છે, જેના કારણે સામાન્ય જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે જુમ્મા મસ્જીદ ના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી