રાધનપુર ચોકડી પર 'AI સેન્સર' આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવવા મામલે મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નર એ નિવેદન આપ્યું
Mahesana City, Mahesana | Oct 31, 2025
મહેસાણા શહેરની રાધનપુર ચોકડી પરની વર્ષો જૂની અને માથાનો દુખાવો બની ગયેલી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મહેસાણા મહાનગરપાલિકાએ એક અત્યાધુનિક અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ આ વ્યસ્ત ચોકડી પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેન્સર આધારિત ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવામાં આવશે.