ગણદેવીના ધમડાછા ગામે પ્રસુતા કલ્પનાબેન હળપતિ અને તેના નવજાત શિશુના મોત મામલે પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના તબીબો પર ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા છે. પ્રસૂતિ બાદ તબિયત બગડતા તેમને નવસારી ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું અવસાન થયું હતું. પરિવારએ ગણદેવી અને નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.