વિસનગર: સરદાર સન્માન યાત્રાનું વિસનગરમાં ભવ્ય સ્વાગત, સરદાર પટેલના જયકાર થી વાતાવરણ ગુંજી ઉઠયું
અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના અવિસ્મરણીય યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મજયંતિ પૂર્વે અમારા દ્વારા “સરદાર સન્માન યાત્રા” નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા 11 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર, બારડોલી થી પવિત્ર સોમનાથ ધામ સુધી, 12 દિવસની રહેશે, જે કુલ 1800 કી.મી. નું અંતર કાપી 355 ગામોમાં જવાની છે. જે યાત્રા વિસનગરમાં પહોંચતા કડા ચોકડી ખાતે પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.