આજે તારીખ 18/10/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે સંજેલી તાલુકામાં આવેલા યોગ કેન્દ્ર પર જિલ્લા યોગ કોર્ડિનેટર પારગી સાહેબની ઉપસ્થિતિમાં યોગ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પારગી સાહેબે તાલીમાર્થી ભાઈઓ-બહેનોને યોગ વિષે માર્ગદર્શન આપ્યુ. અને યોગના દૈનિક જીવનમાં મહત્વની સમજણ આપી. તેમણે જણાવ્યું કે યોગ માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક આરોગ્ય માટે પણ અનિવાર્ય છે.