નવા વર્ષ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલનો પ્રજોગ સંદેશ,કહ્યું,વોકલ ફોર લોકલને મળ્યું પ્રાધાન્ય
કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલે બુધવારે નવા વર્ષ નિમિત્તે પોતાનાં નિવાસ્થાને ખાતેથી દેશની જનતાને પ્રજાજોગ સંદેશો પાઠવ્યો હતો.દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા પાટીલે કહ્યું હતું કે,પ્રધાનમંત્રીની વોકલ ફોર લોકલ નો હાંકલના પગલે લોકોએ પ્રાધાન્ય આપ્યું અને તેના પરિણામે નાના વેપારીઓને સારો વેપાર મળ્યો હતો.આ દિવાળીએ લોકોની ખરીદ શક્તિ પણ વધી હતી.સામી દિવાળીએ પ્રધાનમંત્રીએ દેશની જનતાને મોટી ભેટ આપી.જેના કારણે લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી.