જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવા માટે આજે કુલ ૪૦ જેટલા કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન - સીઆરપીની ત્રણ દિવસીય નિવાસી તાલીમનો પ્રારંભ થયો હતો.પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જૂનાગઢ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત નેજા હેઠળ સરદાર બાગ ખાતેની આત્મા પ્રોજેક્ટની કચેરી ખાતે આયોજિત આ તાલીમમાં નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામોથી અવગત કરવામાં આવ્યા હતાં.