આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સંજેલી તાલુકામાં આવેલ પીછોડા ગામમાં ભારત માતાના ભક્તિ મંદિર ખાતે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રાષ્ટ્રભક્તિ જન સેવા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પીછોડા તરફથી ભારતમાતા ભક્તિ મંદિર પીછોડાના પ્રાંગણમાં ઉતરાયણ પર્વ નિમિત્તે ગામના બાળકો તેમજ અન્ય લોકોને ઉતરાયણ પર્વ ઉજવી શકે તે હેતુસર પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મમરાના લાડુ તેમજ તલનું વિતરણ કરવામાં આવ્યું હતું.